નરસિંહ મહેતા
નરસિંહ
મહેતાનો જન્મ ભાવનગર જિલ્લાનાં તળાજા ગામમાં ઈ.સ.૧૪૧૪ માં નાગર બ્રાહ્મણ શ્રી કૃષ્ણદાસ મહેતાને ત્યાં
થયો હતો. તેઓ પછી જુનાગઢ(ત્યારનું
જુર્ણદુર્ગ) ખાતે સ્થાયી થયા હતા. ૫ વર્ષની ઉંમરે તેમણે માતા-પિતાને ગુમાવ્યા હતા.
તેઓ ૮ વર્ષની વય સુધી બોલી શકતા નહોતા. તેમનો ઉછેર તેમની દાદી જયગૌરી દ્વારા થયો
હતો
નરસિંહ મહેતા ગુજરાતી
ભાષાના પ્રથમ કવિ હતા. આથી તેઓ આદ્ય કવિ અથવા આદિ કવિ કહેવાય છે.તેમણે લખેલી રચનાઓમાં ભજન વૈષ્ણવ જનખૂબ જાણીતું છે, જે મહાત્મા
ગાંધીનું ખૂબ પ્રિય હતું. આ ભજનમાં સારા માનવીના
ગુણો (મૂલ્યો)નું સરસ રીતે વર્ણન કરેલું છે.
તેમના લગ્ન
૧૪૨૯માં માણેકબાઇ સાથે થયા. તેઓ અને તેમની પત્નિ તેમના ભાઇ બંસીધરને ત્યાં જુનાગઢમાં
રહેતા હતા.
તેમને શામળદાસ
નામનો પુત્ર અને કુંવરબાઇ નામની પુત્રી હતી.
નરસિંહ મહેતાએ શામળદાસના વિવાહ, કુંવરબાઇનુ મામેરુ, નરસિંહ મહેતાના
બાપાનું શ્રાદ્ધ, હુંડી, ઝારીનાં પદ, સુદામા ચરિત્ર, દાણલીલા, ચાતુરીઓ, જીવન ઝરમર વગેરે ૧૫૦૦થી વધારે પદો રચ્યા છે. તેમણે રચેલા
સાહિત્યમાં કૃષ્ણ ભક્તિના દર્શન થાય છે.
ગુજરાતી
ભાષાનાં શ્રેષ્ઠ કવિઓને તેમની યાદમાં નરસિંહ
મહેતા એવોર્ડ આપવામાં આવે છે, જેની શરૂઆત ઈ.સ.
૧૯૯૯થી થઈ છે. આ એવોર્ડ આદ્યકવિ નરસિંહ મહેતા સાહિત્યનિધિ ટ્રસ્ટ દ્વારા આપવામાં આવે છે.
તેમના જીવન પરથી ગુજરાતી ભાષાનું પ્રથમ ચલચિત્ર નરસિંહ મહેતા
બન્યું હતું






0 Comments:
Post a Comment